છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માતમાં 18નાં મોત: ઉંડી ખીણમાં પીકઅપ વાન ઉંધી વળી જતા 18 લોકોનાં મોત, 13 લોકોને ઈજા
- 20 May, 2024
છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં સોમવારે થયેલા રોડ અકસ્માતમાં 18 લોકોનાં મોત થયા છે. જ્યારે 10થી 13 લોકોને ઈજા થઈ છે. બૈગા આદિવાસી પારંપારિક તેંદૂપત્તા લઈને પરત ફરી રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી. બહપાની વિસ્તારની પાસે પીકઅપ વાન 20 ફુટ ઉંડી ખીણમાં જઈને પડી હતી, જેમાં 17 લોકોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય લોકોને ઈજા થઈ છે. પિકઅપમાં 27થી 30 લોકો સવાર હતા. આ તમામ લોકો કુઈના રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલો પંડરિયાના કુકદૂરનો છે.
આ ઘટના પર છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે એકસ્ પર લખ્યું, કબીરધામ જિલ્લાના કુકદૂરના બાહપાની ગામની પાસે પિકઅપ વાન ઉંધી વળી જતા 18 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર માટે જરૂરી નિર્દેશ જિલ્લા પ્રશાસનને આપવામાં આવ્યા છે. ઈશ્વરને દિવગંત આત્માઓની શાંતિ અને તેમના પરિવાર પ્રત્યે ઘેરી શોક સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ